Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વઢવાણના નગરા ગામમાં માનસિક બિમાર વૃધ્ધા મંજુબેન કોળી સળગ્યા

ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૩: વઢવાણના નગરા ગામે રહેતાં મંજુબેન પ્રેમજીભાઇ પરાલીયા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધાએ અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મંજુબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ ખેત મજૂરી કરે છે. મંજુબેનને માનસિક બિમારી હોઇ કંટાળી જઇ આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વઢવાણ પોલીસને જાણ કરી હતી.

(11:33 am IST)