Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ભાવનગરમાં પાણીપુરી વેંચતા આધેડનો આપઘાત

બિમારી અને બેકારીથી ત્રાસી જઈને

ભાવનગર, તા. ૨૩ :. ભાવનગરમાં પાણીપુરી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો.

વિગતો મુજબ શહેરના ચિત્રા વિસ્તારમાં શહિદ ભગતસિંહનગરમાં રહેતા અને પાણીપુરી વેચતા શોભારામ જશારામ સતવારા ઠાકોર (ઉ.વ. ૪૮) છેલ્લા થોડા સમયથી બિમાર હોય તેને લઈ પાણીપુરીની લારી ભરી શકતા ન હતા. બિમારી અને બેકારીથી કંટાળી જઈ તેને તેમા ઘેર વહેલી સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.

ઝેરી દવા પી જતા મોત

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે રહેતા માધાભાઈ જેઠાભાઈ વાઘાણી (ઉ.વ. ૮૦) નામના ખેડૂત આધેડે તેની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત નિપજ્યુ હતું.

(11:29 am IST)