Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવ

 જુનાગઢઃ જામજોધપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજની પ્રતિમાને બે વર્ષ પુર્ણ થતા ઘનશ્યામ મહારાજના દ્વિતીય વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ધર્મસભા બ્રહ્મચોર્યાસી ઠાકોરજી અભિષેક અન્નકુટ દર્શન શાકોત્સવ સહિતના કાર્યક્રમો સંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં ઉજવાયા હતા. તસ્વીરમાં ધર્મસભામાં આશિવર્ચન આપતા ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પુ. જેન્તિરામબાપા મંદિરના કોઠારી જગતપ્રકાશદાસજી રાધારમણસ્વામી રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરના કોઠારી પુ.હરિવલ્લભદાસજી, વિવેકસાગરસ્વામી અક્ષરસ્વામી વાસુદેવ સ્વામી, નારાયણસ્વરૂપસ્વામી, હરિપ્રસાદ સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી તેમજ આ પ્રસંગે રાજયના પુર્વ કેબીનેટમંત્રી ચીમનભાઇ સાપરીયા નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર દાતાશ્રી કાકુભાઇ સવજીયાણી સહિતના હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:26 am IST)