Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબી દુર્ઘટનામાં જવાબદાર ઉદ્યોગપતિને તુરંત પકડવા તથા તેને છાવરનાર લોકોને ચૂંટણીમાં પાઠ ભણાવવા કરણી સેના અગ્રણી જે. પી. જાડેજાનો ધ્રુજારો

-સરકારે વહેલામાં વહેલી તકે ઝડપી લઈને જેલમાં ધકેલવા જોઈએ: નાની માછલીઓને પકડી મગરમચ્છને છોડી મુક્યો : છાવરનાર લોકોને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા જેપી જાડેજાનું આહવાન 

રાજકોટ :મોરબી દુર્ઘટનામાં જવાબદાર ઉદ્યોગપતિને તુરંત પકડવા તથા તેને છાવરનાર લોકોને ચૂંટણીમાં પાઠ ભણાવવા કરણી સેના અગ્રણી જે. પી. જાડેજાએ ખુલ્લું આહવાન કર્યું છે,

 કરણી સેનાના અગ્રણી જે,પી, જાડેજાએ એક વિડિઓ સંદેશમાં મોરબી દુર્ઘટનામાં જવાબદારોને વહેલા મ વહેલી તકે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા સરકારને કહેતા વધુમાં જણાવ્યું છે કે આ ઘટનામાં ટિકિટ કાપવા વાળા જેવા નાના માછલીઓને પકડીને મગરમચ્છને છોડી મુકાયા છે ત્યારે તેને છાવરનારા  તમામને આ ચૂંટણીમાં પાઠ ભણાવવા જેપી જાડેજાએ આહવાન કર્યું છે

(11:39 pm IST)