Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાષ્‍ટ્રહિતમાં મતદાન કરવા યોગી આદિત્‍યનાથજીની અપીલ

પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાના સમર્થનમાં યુ.પી.ના મુખ્‍યમંત્રીની જાહેર સભા યોજાઇઃ સભામાં જયશ્રી રામ ભારત માતા કી જયના નારા ગુંજયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૨: પોરબંદર-૮૩ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાના સમર્થનમાં ઉતરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથજીની યોજાયેલી જાહેરસભામાં યોગી આદિત્‍યનાથજીએ પોતાના સંબોધનમાં લોકોને રાષ્‍ટ્ર હિતમાં મતદાન કરવા તેમજ ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાને જંગી બહુમતીથી જીતાડવા જણાવ્‍યું હતું.

ચોપાટી મેદાનમાં યોજાયેલી જાહેર સભાના યોગી આદિત્‍યનાથજીએ જણાવેલ કે  અહીં નાથ સંપ્રદાય સાથે જોડાયેલ પણ કેટલાક સ્‍થળો છે, પોરબંદર નું ઓડદર ગામ બાબા ગોરખનાથ નું અનુયાયી છે, અને એક માન્‍યતા મુજબ ભગવાન શ્રી કળષ્‍ણ અને રૂક્ષમની ના વિવાહ વિધિ બાબા ગોરખનાથે સંપન્ન કરાવેલ હતી  અને તેમની સ્‍મળતિઓ પણ અહીં જોડાયેલી છે.

 યોગી આદિત્‍યનાથજી એ વધુ માં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના શીર્ષ અને નેતળત્‍વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એ વિકાસનું મોડલ આજે સમગ્ર ભારત માટે ઉદાહરણ બન્‍યું છે. આ ઉપરાંત ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ લડત આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્‍ટ્ર બન્‍યું છે. જે સૌ માટે ગર્વની વાત છે. ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્‍યો. સરદાર પટેલે ભારતના વિકાસ માટે દેશી રાજ્‍યોને વિલીનીકરણ કર્યું ત્‍યારે આજે આ ભારતભૂમિ બની છે અને અમને ગર્વ છે કે આ દેશની સેવા કરી રહ્યા છે.

યોગી આદિત્‍યનાથજીએ જણાવેલ કે  અયોધ્‍યામાં ભગવાન રામનું મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ બનીને તૈયાર થઇ ગયું છે.  તેમણે કહ્યું કે આ લડાઇ વાસ્‍તવમાં રાષ્‍ટ્રવાદ વર્સિસ રાષ્‍ટ્ર વિરોધની છે. વિકાસ વર્સિસ વિનાશની છે.રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યુ કોંગ્રેસ હોત તો રામ મંદિર ન બન્‍યુ હોત અને કાશ્‍મીરમાંથી ૩૭૦ કલમ દૂર ન થઈ હોત. તેઓ એ  કહ્યુ ભાજપના કારણે જ આ બધુ થયુ છે.

પહેલા ભારત માં મન પડે ત્‍યારે આંતકવાદીઓ બૉમ્‍બ વિસ્‍ફોટ કરી જતા પરંતુ ભાજપ સરકારના સર્જીકલ  સ્‍ટ્રાઇક જેવા આકરા નિર્ણય અને ઇચ્‍છાશક્‍તિને કારણે આજે આંતકવાદીઓ અને નક્‍સલવાદી ઓ માટે હવે ભારત માં કોઈ જગ્‍યા નથી. સોમનાથધામ, દ્વારકાધામ, ઉજ્જેયિન મંદિર વિષે પણ વિસ્‍તળત વાત કરી હતી.  સભામાં જયશ્રી રામ, ભારત માતા કી જય નો નાદ ગુંજતો રહ્યો  હતો.

(1:26 pm IST)