Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વાંકાનેરમાં ગુરૂ શિષ્‍યનો સ્‍નેહમિલન કાર્યક્રમ 

વાંકાનેર  : દેવભુમી દ્વારકા જિલ્લાના જામ-ભાણવડ ખાતે ગુરૂ શિષ્‍ય સ્‍નેહમિલન કાર્યક્રમ એમ.વી. ઘેલાણી કન્‍યા વિદ્યાલય ખાતે પુર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓ ૫૦ વર્ષ પુર્વે આ શાળામાં અભ્‍યાસ કરતી હી તેમના દ્વારા યોજાયો હતો. જેમાં ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન તેમજ ઇંગ્‍લેન્‍ડ સ્‍થિત ૧૫ બહેનો ૨ ગુરૂજનો તથા ૫૫૦થી વધુ વિદ્યાર્થીનીઓ તથા શાળા પરિવારના સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. બે ગુરૂજનોમાં હાલ અમદાવાદ સ્‍થિત પ્રિન્‍સીપાલ બાબુભાઇ એચ. દેસાઇ તથા શિક્ષક ધરમશીભાઇ એમ. સોનગરાનું સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે પુર્વછાત્ર અને વાંકાનેરની શાળાના પુર્વ પ્રિન્‍સીપાલ ઉર્મિલાબેન આશર તથા જામનગરની શાળાના પ્રિન્‍સીપાલ માલાબેને શાળા તથા શિક્ષકો પ્રત્‍યે લાગણી વ્‍યકત કરી હતી. આ કાર્યક્રમને પ્રત્‍યુત્તર આપતા દેસાઇભાઇએ સૌને અભિનંદન આપ્‍યા હતા. શાળાની વર્તમાન બાલીકાઓએ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમ રજુ કર્યા હતા. કાર્યક્રમની કાયમી સ્‍મૃતિરૂપે બહેનો દ્વારા શાળાને આધુનિક મ્‍યુઝિક સીસ્‍ટમ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત તમામ વર્તમાન વિદ્યાર્થીઓને સ્‍મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.  કાર્યક્રમ સફળ બનાવવા પુર્વ છાત્રા શશીબેને જાગૃતી ઉઠાવેલ હતી. અને શાળાના ઇન્‍ચાર્જ આચાર્ય નીતાબેન ગજેરા તથા સ્‍ટાફ ગણે કાર્યક્રમ સફળ બનાવેલ હતો.(તસ્‍વીર-અહેવાલ : લિતેશ ચંદારાણા વાંકાનેર)

(11:55 am IST)