Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નરેન્‍દ્રભાઇ સાથે ધોરાજીનાં પત્રકાર કિશોર રાઠોડની મુલાકાત

ધોરાજી, તા. રરઃ  ધોરાજી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી ની જાહેર સભા યોજાઈ હતી આ પ્રસંગે સાધુ-સંતોને વિવિધ સમાજના આગેવાનો સાથે શુભેચ્‍છા મુલાકાત આપી હતી.

જેમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્‍ટ્રીય અગ્રણી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ અકીલાના સિનિયર રિપોર્ટર સાથે ૧૭ જેટલી વિવિધ સંસ્‍થામાં સેવા આપતા ધોરાજીના કિશોરભાઈ રાઠોડ (વિશ્વકર્મા) ને ધોરાજી ખાતે નરેન્‍દ્રભાઈ મોદીની સભા સ્‍થાન બાજુમાં હેલીપેડ ખાતે નરેન્‍દ્ર ભાઈ મોદી ત્રણ હેલિકોપ્‍ટર સાથે પધાર્યા ત્‍યારે તેમનું સ્‍વાગત કિશોરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું હતું આ સમયે નરેન્‍દ્રભાઈ મોદીએ જૂની યાદ તાજી કરીને કિશોરભાઈ રાઠોડ ને શુભેચ્‍છા પાઠવી હતી અને સેવા કરો તેવા આશીર્વાદ પાઠવ્‍યા હતા.

(11:53 am IST)