Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આરોપીઓની જામીન અરજીની કાલે સુનાવણી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૨: મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓᅠ પૈકી ૮ આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી અંગે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને કેસની સુનાવણી તા. ૨૩ ના રોજ કરવામાં આવશે તેમ કોર્ટે ઠેરવ્‍યું હતું.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મૃત્‍યુ બાદ પોલીસે ફરિયાદ નોંધી ઓરેવા કંપનીના મેનેજર સહિતના નવ આરોપીની ધરપકડ કરી હતી જે આરોપીના રિમાન્‍ડ મેળવી બાદમાં જેલહવાલે કરવામાં આવ્‍યા છે ત્‍યારે જેલમાં આરોપીઓ દિપકᅠ નવીનચન્‍દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્‍પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરી હતી.

આ આઠ આરોપીની જામીન અરજીની આજે મોરબી ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવાઓ ધ્‍યાનમાં લીધા હતા અને જામીન અરજીની સુનાવણી તા. ૨૩ ના રોજ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

 

(11:50 am IST)