Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગોંડલ આંગણવાડીના બાળકોને સુખડી વિતરણ 

  ગોંડલ :  શહેરની સૈનિક સોસાયટીમાં આવેલ સરકારી આંગણવાડી ના ૪૦ બાળકોને કુપોષણથી મુક્‍તિ આપવાના શુભ આશય થી ગોંડલના દાતા જૈન મુરબ્‍બી  યશુમતીબેન શેઠના સહયોગથી કમલેશભાઈ દેસાઈ અને સમાજસેવી હિતેશભાઈ દવેના સહકાર થી શુધ્‍ધ દેશી ઘી માં તૈયાર કરેલ પૌષ્ટિક સુખડી કિલો ૧૩નું  વર્ષ ૩ થી ૬ના બાળકોને તેમની માનસિક, શારીરિક તંદુરસ્‍તીમાં વળધ્‍ધિ થાય તે હેતુ થી દરેક બાળકને સુખડીનું વિતરણ  યશુમતિબેન જૈનના શુભ હસ્‍તે કરવામાં આવ્‍યું.આ તકે આંગણવાડીના સંચાલક અને હેલ્‍પર બેન નો પૂર્ણ સહકાર અને કમલેશભાઈ દેસાઈ અને હિતેશભાઈ દવેનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. સૈનિક સોસાયટી આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૪૦ બાળકોને શુધ્‍ધ દેશી ઘી માં બનાવેલ ૧૩ કિલો પૌષ્ટિક સુખડી આપવા બદલ સંચાલક એ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા ગોંડલ)

(11:46 am IST)