Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે : ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૨ : કિસાન આંદોલનો વિજય થયો છે. આખરે એક વરસના અંતે વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે ! સરકારના મંત્રીઓ તથા મીડિયાએ આંદોલનકારી કિસાનોને; મવાલી/ખાલિસ્તાની/દેશદ્રોહી/હિંસાવાદી/નકલી કિસાન/ અરાજકતાવાદી/ આતંકવાદી/આંદોલનજીવી વગેરે શબ્દોથી સતત બદનામ કર્યા હતા. આંદોલન સ્થળોએ સત્ત્।ાપક્ષે ગુંડાઓ મોકલ્યા/કિસાનોને હિંસા માટે ઉશ્કેરવામાં આવ્યા/ મહિલાઓના ટોઈલેટ છીનવી લીધા/ ટેન્ટ ઉખાડી નાંખ્યાં/ રસ્તાઓ ઉપર ખીલાઓ ખોડ્યા-બેરિકેડની હારમાળા ઊભી કરી/ ૭૦૦થી વધુ કિસાનો શહીદ થઈ ગયા/ કિસાન નેતાઓનું ચરિત્ર હનન કર્યું; આખરે અન્નદાતાઓ ઉપર જુલમ ગુજારવાથી વડાપ્રધાનને શું મળ્યું? દુખની બાબત એ છે કે વડાપ્રધાનને એક વરસે સમજ આવી છે કે કોર્પોરેટ મિત્રોથી ઉપર લોકતંત્ર છે ! કિસાન આંદોલનકારીઓની બીજી મહત્વની માંગણી ‘MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસ'ની 'કાનૂની ગેરંટી'ની છે; તે માંગ પણ સ્વીકાર્યા વિના છૂટકો નથી !

આ વિજય માત્ર દેશના કિસાનોનો નથી. પરંતુ શ્રમિકોનો/દલિતો/લધુમતીઓનો/સ્વતંત્ર પત્રકારો/બંધારણીય મૂલ્યોનો/અહિંસક લડતનો વિજય છે. આ વિજય, અહંકારી/ક્રૂર/સીલેકટેડ કોર્પોરેટ મિત્રોની સરકાર સામે દેશના લોકોનો છે. સવાલ એ છે કે એક વરસથી મીડિયા ત્રણ કૃષિ કાનૂનોના ફાયદા ગણાવતા થાકતું નહતું; હવે તેમનું મોં કઈ રીતે ખૂલશે?

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે ! ૧૫ ઓગષ્ટ ૧૯૪૭દ્ગક્ન રોજ મળેલ આઝાદી અને ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકારી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે તેને અમલમાં મૂકયું હતું; તેની આ જીત છે ! તેમ વીરજીભાઇ ઠુંમર (ધારાસભ્ય લાઠી-બાબરા)એ એક નિવેદનમાં જણાવ્યુ છે. 

(12:56 pm IST)