Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સમર્પણ ઉપર લક્ષ્મીજીનો વરસાદ વરસાવતા ભીખુભાઇ વાઢેર

જામનગર : દેવરીયા ગામના રહેવાસી ભીખુભાઇ વાઢેર ૫૨ વર્ષ પહેલા સને ૧૯૭૦ની સાલમાં સાયકલ ઉપર ગુલ્ફી વેંચીને નવ માણસના પરિવારને નીભાવતા હતા. ખારાં પાણી અને નબળી જમીનમાં કંઇ ખાસ ઉપજ થતી નહીં તેઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સર્મપણ હોસ્પિટલમાં રૂ. ૧,૨૫,૦૦,૦૦૦ નું માતબર દાન આપવામાં આવેલ છે. નસીબદાર સંસ્થાને કે વ્યકિતને આવા સથવારા મળે છે. સાદગીને તો જીવનમંત્ર બનાવેલ છે. ઇશ્વરે આપેલ ધન-સંપતિ કેમ વાપરવી અને પાછલી પેઢીને કેવા સંસ્કાર આપવા તે શીખવું હોય તો ભીખુભાઇ પાસે જવું પડે. લક્ષ્મીજી સતકાર્ય જોઇને ઘરમાં વાસ કરે છે તેમાંનુ એક ઘર ભીખુભાઇનું છે.

(12:50 pm IST)