Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ભાવનગરને હરીયાળુ બનાવવા બદલ સન્માન

 ભાવનગરને હરીયાળુ બનાવવામાં સિંહ ફાળો નોંધાવનાર સંસ્થા 'ગ્રીનસીટીનું શહેર ભાજપના સ્નેહ મિલન દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ. ગ્રીન સીટીના દેવેનભાઇ શેઠની પર્યાવરણ ક્ષેત્રે થયેલ કામગીરીને ભુપેન્દ્રભાઇ પટેલે બીરદાવી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ગ્રીનસીટીના અચ્યુતભાઇ મહેતા, તારકભાઇ શાહ, પિયુષભાઇ વ્યાસ વગેરે સાથે ઉપસ્થિત રહ્યા હતા. દેવેનભાઇએ સન્માન બદલ શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઇ પંડયા સહીત તમામ હોદેદારોનો આભાર વ્યકત કર્યો હતો.

(11:48 am IST)