Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જોડિયા તાલુકામાં કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન રેલી

 જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયાની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા તથા કાલાવડ-૭૬ નાં ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી તથા જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નાથાભાઇ સાવરીયા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી અમરશીભાઈ નંદાસણા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી કાનાભાઈ વિરડા તથા જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શબ્બીરભાઈ ખ્યાર તથા જોડીયા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બિજલભાઈ ખીમાલીયા તથા તૈયબભાઈ તથા બાલાભાઈ તથા નુરાભાઈ તથા જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : રમેશ ટાંક -જોડિયા) 

(11:46 am IST)