Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

૩૬ કિલો ગાંજાનો ફરારી આરોપી યુવરાજસિંહ લૈયારાથી ઝડપાયો

જામનગર તા. રર :.. જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચનાથી જામનગર જીલ્લાના એનડીપીએસ એકટના ગુન્હાના નામસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ. ઓ. જી.ના પોલીસ ઇન્સ્પેકટ એસ. એન. નિનામાના માર્ગદર્શન મુજબ એસ. ઓ. જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતાં.

એસ. ઓ. જી. જામનગરએ ગે. કા. માદક પદાર્થ ગાંજો ૩૬ કિલો ૯૦૦ ગ્રામ કી. રૂ. ૩,૬૯,૦૦૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ર૩,૮૭,૯૮૧ ના સાથે પકડી કુલ ૭ આરોપીઓ વિરૂધ્ધમાં ધ્રોલ પો. સ્ટે. ના ગુ. ર. નં. ૧૧ર૦ર૦૧૪ર૧૦પપપ-ર૦ર૧ એનડીપીએસ એકટ કલમ ૮ (સી.), ર૦(સી), ર૯ મુજબનો દાખલ કરાવેલ જેમાં ફરારી આરોપી અજય જાડેજા રહે. જોગવડ વાળો ઘણા સમયથી ફરાર હોય અને હાલ લૈયારા ગામના પાટીયા પાસે બેઠેલ હોય જે હકિકત એસ.ઓ.જી. સ્ટાફના  એચ.સી. રમેશભાઇ ચાવડા તથા દોલતસિંહ જાડેજા

(11:38 am IST)