Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જૂનાગઢમાં બિલખા રોડ ઉંપર પોલીસ ચોકી મંજુર નહીં કરાય તો આંદોલનની ચીમકી

જૂનાગઢ, તા. ૨૨ :. પૂર્વ મેયર લાખાભાઈ પરમારે ડીઆઈજીને રજૂઆત કરીને ડો. આંબેડકરનગર બિલખા રોડમાં પોલીસ ચોકી મંજુર કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ આંદોલન કરવાની ચીમકી આપી છે.
રજૂઆતમાં જણાવેલ કે ડો. આંબેડકરનગરમાં આશરે ૧૫૦૦ રહેણાંક મકાન તથા ૧૩,૦૦૦થી ૧૫,૦૦૦ની વસ્તી ધરાવતો વિસ્તાર છે. ડો. આંબેડકરનગરમાં જૂની ખાણની કોતરો તથા પાછળના ભાગે જ જંગલ આવી જાય છે જેથી અસામાજિક તત્વો આ સુમસામ ભાગે ઘણી ગેરકાયદેસર પ્રવૃતિઓ જેવી કે દારૂ બનાવવા, ગાંજો વેચાણ, જુગાર રમાડવો વગેરે ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવે છે. તેમજ નાના મજૂર વર્ગના લોકોના મકાનો પડાવી લઈ કબ્જે કરવાની પ્રવૃતિઓ કરે છે

 

(10:29 am IST)