Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પોરબંદરમાં આરટીઆઇ એકટીવીસ્ટ પ્રફુલભાઇ દતાણીને ન્યાય અપાશે?

હાલ ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળઃ ફરીયાદ લેવાતી નથી?

 પોરબંદર તા. રર :.. બે દિવસ પહેલા આરટીઆઇ એકટીવીસ્ટ પ્રફુલભાઇ દતાણી ઉપર કહેવાતી રાજકીય વ્યકિતઓ દ્વારા હુમલા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ છે.

દરીયાકાંઠા વિસ્તારમાં  નિયમ ભંગ સામે આરટીઆઇ અરજી કરી ઝૂંબેશ ચલાવનાર પ્રફુલભાઇ દતાણી ઉપર અગાઉ બે વખત હૂમલો થયો હતો.

તાજેતરમાં ત્રીજીવાર હૂમલો થયા બાદ ફરીયાદ નોંધાવવામાં કેટલાંક માથા ભારે તત્વો વિધ્ન નાખતા હોવાનું અને  ફરીયાદ ન થાય તેવા પ્રયત્નો થઇ રહ્યાની ચર્ચા છે.

સારવાર દરમિયાન પણ કેટલાંક શંકાસ્પદ શખ્સોના આંટાફેરા વધી ગયેલ છે જે  ફરીયાદ કરવામાં રૂકાવટ ઉભી  કરી રહ્યાની ચર્ચા છે.

અગાઉ પ્રફુલભાઇ ઉપર હૂમલા બાદ તેમને કાયદાકીય ન્યાય માંગતા હાઇકોર્ટ દ્વારા પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું.

જે હાલ હટાવી લેવામાં આવ્યું છે. તેમને માર મારતા ઇજા થઇ છે. તેના બદલે સીડી ઉપરથી પડી જવાથી ઇજાના  સોગંદનામાઓના પ્રયત્ન  થઇ રહ્યાનું પણ ચર્ચાય છે ત્યારે આ બાબતે કોઇ કડક અમલદાર દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તેવી લાગણી પ્રવર્તે છે.

(3:50 pm IST)