Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પૂ.પારસમૂનિ મ.સા.નો કાલે નિકાવામાં ભવ્ય નગર પ્રવેશ

ક્રાંતિકારી સંત પૂ.શ્રી ૨૨ વર્ષે માદરે વતન પધારશે

રાજકોટઃ તા.૨૨, ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજયશ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્ય મહામંત્ર પ્રભાવક પૂજયશ્રી જગદીશમૂનિ મહારાજ સાહેબના સુશિષ્ય ક્રાંતિકારી સંત સદ્ગુરૂ સાહેબ પૂજયશ્રી પારસમૂનિ મહારાજ સાહેબ સંયમગ્રહણ કર્યા બાદ ૨૨ વર્ષે પ્રથમવાર જન્મભૂમિ નિકાવાની પાવન ધન્ય ધરા પર પધારતા સમસ્ત નિકાવા ગામ દ્વારા ભવ્ય નગર પ્રવેશ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે.

કાલે તા.૨૩ને શનિવારે સવારે ૯ કલાકે નગર પ્રવેશ યાત્રા મહાદેવ મંદિરથી બસ સ્ટેન્ડ, નંદીગ્રામ ચોક, જૈન ઉપાશ્રયથી માધાપર બેચરભાઇ સાવલીયાના નિવાસ સ્થાને  પહોંચશે, જયાં ધર્મસભાનું આયોજન  રાખવામાં આવેલ છે.

પ્રવેશ યાત્રામાં ભાઇઓ-બહેનો કળશ, અષ્ટમંગલ તેમજ સુશોભીત આગમ ધારણ કરી સામેલ થશે. બાળકો દ્વારા  વેશભુષા કરવામાં આવશે. રંગોળી દ્વારા રંગ પુરાશે. 

(11:52 am IST)