Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ભાવનગરમાં શ્રીસદ્ગુરૂ સાધના કેન્દ્રના સ્થાપના દિવસનજી ઉજવણી નિમીતે સહજ ધ્યાન શિબીર

પૂ.પુનિતાચારીજી મહારાજ સિધ્ધ યોગીની શ્રી શૈલજાદેવી ઉપસ્થિત રહેશે.

ભાવનગર તા ૨૨  :શ્રી સદ્ગુરૂ સાધના કેન્દ્ર, ભાવનગરની સ્થાપનાને ૪૦ વર્ષ પુરા થઇ જવા રહયાં છે, તે પાવન પ્રસંગ નિમીતે તા. ૨૩/૧૧/૨૦૧૯ તથા તા.૨૪/૧૧ઈ૨૦૧૯ ના રોજ ભાવનગરમાં યશવંતરાય નાટયગૃહ ખાતે સાંજે પ કલાકથી ૭.૩૦ કલાક સુધી સહજ ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. આયોજનમાં હિરેનભાઇ દવે, શૈલેષભાઇ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહયાં છે.

આ શિબીરમાં શ્રી ગિરનાર સાધના  આશ્રમ જુનાગઢના પ્રણેતા મહર્ષિ પ.પૂ. પુનિતાચારીજી મહારાજ તથા સિધ્ધ યોગીની મૈયાશ્રી શૈલજાદેવી ઉપસ્થિત રહેશે. અન ેવિશ્વકલ્યાણકારી , વરદાની સાધકોને સહજ ધ્યાનની અનુભુતિ કરાવશે.

પ.પૂ. પુનિતાચારીજીને ૪૫ વર્ષોની કઠીન તપશ્ચર્યા બાદ તા. ૧૫/૧૧/૧૯૭૫ ના રોજ મધ્યરાત્રિએ ગિરનારમાં સદ્ગુરૂ શ્રીદ્ત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર થયેલ અ ને શ્રસ દત્તાત્રેય ભગવાને વિશ્વ કલ્યાણ અને મહર્ષિ પુ.પુ. પુનિતાચારીજીને ''હરિઁ'' તત્સત જય ગુરૂદત'' વરદાની મહામંત્ર સ્વમુખે આપ્યો હતો. પૂ.પુનિતાચારીજી ૧૩ વર્ષ બાદ ભાવનગર આવી રહ્યા છે.

આ મંત્રની ધુન કરવાથી, જાપ કરવાથી
સહજ ધ્યાન દ્વારા આત્માનંદની અનુભુતિ થાય છે, માનસિક શાંતિ મળે છે તેમજ અનેક પ્રકારના શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ થાય છે.

(11:45 am IST)