Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ધોરાજી ખાતે સૈયદ શિરાજી શાહ બાવાના ઉર્ષની ઉજવણી સૈયદ કયુમબાવા દ્વારા ૧૫૧ તબરુંકાત શરીફના દીદાર

 ધોરાજીૅં તા.૨૨: ધોરાજી ખાતે કલારિયા શરીફ વાળા સૂફી  સંત દુખીયાઓ ના બેલી પીર સૈયદ મોહંમદ સાલેહ શિરાજી શાહ બાવા ના ઉર્ષ નિયમિતએ તેઓની બારગાહ માં ખીરાજ એ અકીદત પેશ કરવાના શુભ હેતુ થી ધોરાજી ખાતે બહારપુરા સાય બાવા ચોક ખાતે આવેલ ખાન કાહે શિરાજી ખાતે આલે નબી ઓલાદ એ અલી સૈયદ હાજીકયુમબાવા શિરાજી દ્વારા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  સવારે ૯ કલાકે મહેફિલ એ નાત શરીફ અને બાદમાં સવારે ૧૦ કલાકે એક મહેફિલ એ શિરાજીયા રાખવામાં આવેલ હતી જેમાં ખાનદાન  એ શિરાજી ના ચશ્મો ચરાગ અને સૌરાષ્ટ્ર ભર માં તકરીરો કરી સમાજ માં રહેલ કુરિવાજ ને નાબૂદ કરવાની પ્રેણા આપનાર અને યુવાનો ને ઘેલું લગાડનાર  સૈયદ શકીલબાપુ શિરાજી ( ખલિફા એ શેખુલ ઇસ્લામ ) એ વયાજ કરેલ હતું સૌરાષ્ટ્ર ભર માંથી સૈયદ સિરાજીશાહ બાવા ના અકીદત મંદો એ ખીરાજ અકીદત પેશ કરી અને પુણ્ય નું ભાથું બાંધેલ હતું અને બાદ માં તબરુંકાત  શરીફ  ના  દીદાર  કરવામાં  આવ્યા હતા આ અમૂલ્ય અવસર ને સફળ બનાવવા માટે હાજી મોઈનુદ્દીન બાવા શિરાજી ( બાવા સાય ) સૈયદ સલીમબાવા શિરાજી સૈયદ ડાડા બાવા શિરાજી એ જહેમત ઉઠાવેલ હતી

પીર એ તરિકત સૈયદ કયુમબાવા શિરાજી દ્વારા ૧૫૧ તબરુંકાત  શરીફ  ના  દીદાર  કરવામાં આવ્યા.

(11:45 am IST)