Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જૂનાગઢમાં અજાણી રીક્ષાએ ઉલાળતાં વૃધ્ધનું મૃત્યુ

સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા

જૂનાગઢ તા. રરઃ જૂનાગઢમાં નવી કલેકટર ઓફીસ સામે આવેલ અમૃતનગરમાં રહેતાં પરસોતમભાઇ ભાણજીભાઇ ચૌહાણ (ઉ.વ. ૭૦) નામનાં વૃધ્ધને ગઇકાલે શહેરનાં વણઝારી ચોક પાસે બપોરનાં અરસામાં અજાણી રીક્ષાના ચાલકે હડફેટમાં લીધા હતા.

આ અકસ્માતમાં પરસોતમભાઇને માથા તથા મોઢાનાં ભાગે તેમજ પડખામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવડામાં આવ્યા હતા.પરંતુ ગંભીર ઇજા અને વૃધ્ધાવસ્થાને લઇ વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.આ અંગે બી ડીવીઝન પોલીસે મૃતકનાં પુત્ર ભરતભાઇ ચૌહાણની ફરિયાદ લઇ રીક્ષા ચાલક સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. વી. કે. ડાકી ચલાવી રહ્યા છે.

(11:36 am IST)