Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વઢવાણમાં ભાજપનું સ્નેહ મિલન

જીતુભાઇ વાઘાણી, આઇ.કે.જાડેજા, નિતીનભાઇ ભારદ્વાજ, ભરતભાઇ પંડયા સહિતની ઉપસ્થિતી

વઢવાણ તા. રર :.. સુરેન્દ્રનગર ખાતે આજે લોકસભા સિટનું વઢવાણ ખાતે આવેલ આનંદ ભવન ખાતે જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સન્માન સમારંભનું   ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર ટાવર ચોકથી લઇને આંબેડકર ચોક થઇને આનંદ ભવન ખાતે યુવા ભાજપ દ્વારા સ્વાગત સાથે બાઇક રેલી સાથે પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ  વાઘાણીનું  સન્માન સાથે આવકારવામાં આવ્યા છે.

આઇ. કે. જાડેજા, ભરતભાઇ પંડયા, પ્રભારી નિતીનભાઇ ભારદ્વાજ વગેરે આજના આ સ્નેહ મિલન સમારંભમાં હાજર રહ્યા હતાં.

(1:58 pm IST)