Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમૃતસરમાં ગ્રેનેડ હુમલામાં નિરંકારી ભકતોના મોત નીપજતા જામનગરમાં શોકાંજલી અર્પણ

જામનગર, તા.૨૨: અમૃતસર નજીક સંત નિરંકારી સત્સંગ ભવન રાજા સાંસીમાં ગ્રેનેડ હુમલામાં ત્રણ નિર્દોષ ભકતોની મૃત્યુ થયેલ અને લગભગ ર૦ જેટલા લોકો ઘાયલ થયા. તેનાથી સમસ્ત નિરંકારી પરિવારને દુઃખ થયેલ. સ્થાનીય નિરંકારી સત્સંગ ભવનમાં શોક વ્યકત કર્યો હતો.

જામનગર શાખાનાં સંયોજક મનહરલાલ રાજપાલજીએ કહ્યું કે, 'સંત નિરંકારી મિશન પ્રીત-પ્રેમ, શાંતી તથા સહનશીલતાનો મિશન છે, આપણે નિરાકાર પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક સ્થળે માનવતા અને શાંતીનો વાતાવરણ સ્થાપિત થાય.

આ ઘટનામાં જે પણ ભાઇ-બહેનોનાં પરિવારોને ક્ષતી થયેલ છે. સંત નિરંકારી મંડળને બધાને દરેક સંભવ સહાયતા કરવા માટે આશ્વાસન આપે છે. સંત નિરંકારી મંડળની કાર્યકારીણીનાં સદસ્યોની એક ટીમ શોકગ્રસ્ત પરિવારોને મળવા માટે અમૃતસર પહોંચી હતી.

(1:54 pm IST)