Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ગારીયાધારમાં રવિવારે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપનો સમુહલગ્ન સમારોહ

મહેશભાઇ સવાણી(સવાણી ગ્રુપ) કેશુભાઇ નાકરાણી(ધારાસભ્ય) મુકેશભાઇ નાવડીયા ઉપસ્થિત રહેશે

ગારીયાધાર તા.૨૨: ગારીયાધાર સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી રપ ને રવિવારે સાંજના વાલમ ગ્રાઉન્ડ ખાતે ૨૧મો સમુહ લગ્ન સમારોહ યોજાશે.

આ સમુહ લગ્ન સમારોહમાં પટેલ સમાજના ૧૨ નવ યુગલો નવ જીવનની કેડીએ પગલા પાડશે. જે નવયુગલોને આર્શિવાદ આપવા સમારોહના અધ્યક્ષ, મહેશભાઇ સવાણી, ઉદ્દઘોષક કેશુભાઇ નાકરાણી અને ઉપાધ્યક્ષ મુકેશભાઇ નાવડીયા તેમજ આર્શિવચન પૂ. વજુબાપુ અને સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી હાજર રહીને સમારોહની શોધા વધારશે.આ સમુહલગ્નોત્સવમાં દિકરીઓને પટેલ સમાજમાં ૬૫ દાતાઓ દ્વારા ૫૨ કરિયાવરની વસ્તુઓ દાન આપવામાં આવશે.

(12:03 pm IST)