Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સાંજે જસદણમાં ભાજપનું સ્‍નેહમિલન

અધ્‍યક્ષસ્‍થાને જીતુભાઇ વાઘાણી : મંત્રીઓ, ધારાસભ્‍યો, ભાજપ આગેવાનો ઉપસ્‍થિત રહેશે

જસદણ : ભાજપના સ્‍નેહમિલન કાર્યક્રમ માટેની તૈયારી થતી નજરે પડે છે. (તસ્‍વીર : હુસામુદીન કપાસી-જસદણ)

જસદણ તા. ૨૨ : જસદણ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી નજીકના ભવિષ્‍યમાં યોજાવાની છે ત્‍યારે જસદણમાં સાંજે ૪ વાગ્‍યે ભાજપનું સ્‍નેહમિલન યોજાશે જેમાં ભાજપના અડધો ડઝનથી વધારે મંત્રીઓ, એક ડઝન જેટલા ધારાસભ્‍યો સહિત પ્રદેશ ભાજપના નેતાઓની ફોજᅠ ઉપસ્‍થિત રહેશે

આજે ગુરૂવારે સાંજે ૪ કલાકે આટકોટ રોડ ઉપર, ફાયર સ્‍ટેશન સામે, વેલા ભાઈᅠ ગેલાભાઈ છાયાણીના મેદાનમાં જસદણ વિધાનસભા વિસ્‍તારનું ભાજપનું સ્‍નેહમિલન યોજાશે. જેમાં અધ્‍યક્ષ સ્‍થાને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,ᅠ પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, શિક્ષણᅠ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, વાહનવ્‍યવહાર મંત્રી આર.સી.ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, મંત્રી વાસણભાઈ આહિર,ᅠ મંત્રી વિભાવરીબેન દવે તેમજ રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, ભારતીબેન શિયાળ, રાજેશભાઇ ચુડાસમા, દેવજીભાઈ ફતેપરા, નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍યો આર. સી. મકવાણા, દેવાભાઈ માલમ, ભીખાભાઇ બારૈયા, રાજકોટના ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, જેઠાભાઇ ભરવાડ, કેશુભાઇ નાકરાણી,ᅠ શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા,ᅠ ભવનભાઈ ભરવાડ, બોર્ડ નિગમના ચેરમેન નરેન્‍દ્રભાઈ સોલંકી, ધનસુખભાઈ ભંડેરી, મહેન્‍દ્રસિંહ સરવૈયા, જસદણ રાજવી સત્‍યજીતકુમાર ખાચર, હીરાભાઈ સોલંકી, શંકરભાઈ વેગડ, રમેશભાઈ મુંગરા, પૂર્વ મંત્રીઓ આત્‍મારામભાઇ પરમાર, કિરીટસિંહ રાણા,જયંતીભાઇ કવાડીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી કે સખીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કિસાન મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ બાબુભાઇ જેબલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા,પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંધાડ તેમજ વકફ બોર્ડના ચેરમેન સૂફી સંત સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

 સ્‍નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન સમારોહ યોજાશે આ સ્‍નેહમિલનમાં ઉપસ્‍થિત રહેવા પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્‍ય તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ કે બોઘરા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુવરજી ભાઈ બાવળીયા નિશ્ચિત છે અને અને પેટા ચૂંટણી યોજાવાની છે ત્‍યારે જસદણ વિધાનસભા વિસ્‍તારનું ભાજપનું આ સ્‍નેહ મિલન ભાજપના શક્‍તિ પ્રદર્શન સમાન માનવામાં આવે છે આ સ્‍નેહમિલન માટે જસદણ શહેર ભાજપના પ્રભારી અશોકભાઈ મહેતા, સહપ્રભારી ચંદુભાઈ કચ્‍છી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ શહેરના ઇન્‍ચાર્જ ભરતભાઈ અનડકટ, જિલ્લા ભાજપ મંત્રી હિરેનભાઈ સાકરીયા, જિલ્લા મહિલા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, દુરગેશભાઇ કુબાવત, પંકજભાઈ ચાવ, હરેશભાઈ હેરભા,ᅠ ધીરુભાઈ રામાણી, રમેશભાઈ સાકરીયા, રાજુભાઈ ધાધલ, બીજલભાઈ ભેંસજળીયા, ભરતભાઈ છાયાણી, સોનલબેન વસાણી,ભરતભાઈ ધારૈયા, નરેશભાઈ ચોહલીયા, નરેશભાઈ દરેડ મુન્નાભાઈ સોજીત્રા, અશોકભાઈ ગાંધી વિઠ્ઠલભાઈ સખીયા પ્રેમજીભાઈ રાજપરા, ભુપતભાઈ કેરાળિયા ધનશ્‍યામભાઈ ચાંવ, મધુભાઈ છાયાણી, અલ્‍પેશભાઈ રૂપારેલીયા, કાર્તિકભાઈ હુદડ, હરેશભાઈ હિરપરા, લાધાભાઈ છાયાણી,ᅠ ધીરુભાઈ ભાયાણી, પોપટભાઈ રાજપરા, ખોડાભાઈ ખસિયા, અલ્લાઉદીન ભાઈ ફોગ,ᅠ દિનેશભાઈ હિરપરા, ભીખાભાઈ રોકડ, મનસુખભાઈ જાદવ, નિમેષભાઈ શુક્‍લ, અરૂણભાઇ વઘાસિયા, જયુભાઈ બોરીચા, સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(11:51 am IST)