Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામનગરમાં ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા ચાઇનીઝ વસ્તુઓનાં બહિષ્કારનો સંકલ્પ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨: ભારત તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવર ની મુકિત માટે જિલ્લા સમહર્તા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

૨૦ ઓકટોમ્બરને કાળો દિવસ મનાવી ચાઈનીઝ વસ્તુના બહિષ્કારનો સંકલ્પ કરાયો હતો.

૨૦ ઓકટોમ્બર ૧૯૬૨ ના ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને દેશ ની સંસ્કૃતિ અને સંપત્ત્િ। ને નુકશાન પોહચાડ્યું હતું ત્યારે ભારત તિબબત સંદ્ય દ્વારા આ દિવસ ને ર્ંકાળો દિવર્સં જાહેર કરી જિલ્લા મહાનગરો માં આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

જામનગરમાં પણ આ અંગે નો કાર્યક્રમ ભારત તિબ્બત મહિલા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શહેર અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, પાયલબેન શર્મા, દિશીતા પંડયા,પૂર્ણિમાબેન નંદા, રીટાબેન ઝીંઝુવાડિયા, આશાબેન કટારમલ, મીનાક્ષીબેન રાયઠઠા અને પ્રાંત યુવા પાંખ પ્રદેશ મંત્રી કર્મભાઈ ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.

(12:41 pm IST)