Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જૂનાગઢમાં સગીરા પર નરાધમનો બળાત્કાર

લગ્નની લાલચ આપી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચર્યુઃ ભોગ બનનાર તરૂણીની ફરિયાદનાં પગલે આરોપી હસ્તગત કરાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૨: જૂનાગઢનાં દોલતપરાની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી બાદમાં તેણી પર અવારનવાર નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે રાત્રે આરોપીને હસ્તગત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જૂનાગઢના દોલતપરામાં શાંતેશ્વર મંદિર પાસે રહેતા એક પરિવારની ૧૬ વર્ષની ૪ મહિનાની સગીર દિકરીને ૨૦ દિવસ અગાઉ દોલતપરાનો નૌસાદ હાસમ શેખ નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી તેણીનું અપહરણ કરી ગયો હતો.

બાદમાં આરોપી નૌશાદ શાપર-વેરાવળ અને રાજકોટ વગેરે ખાતે લઇ જઇ જયાં સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરી હતી.

ભોગ બનનાર તરૂણીની આપવીતીથી તેઓ પરિવાર હચમચી ગયો () ગત રાત્રે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) અને પોકસો એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ફરિયાદ અંગે પી.આઇ. એમ.એમ.વાઢેરે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ નૌશાદને હસ્તગત કરી આગળની કાર્યવાહી આદરી છે.(

(12:40 pm IST)