Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઉપલેટાના ૧૮ ગામોને અતિવૃષ્ટિ સહાયમાં બાકાત રખાતા આક્રોશ

ધારાસભ્ય લલિતભાઇ વસોયાની આગેવાનીમાં રેલી અને મામલતદારને આવેદન

 

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૨૨ : તાજેતરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થતાં ઉપલેટા તાલુકામાં પણ આ વરસાદને કારણે સારૃં એવું ખેતીવાડીમાં નુકસાન થયેલ હતું. આ નુકસાન અંગે જે તે વખતે કોંગ્રેસ સામ્યવાદી તથા ખેડૂત સંગઠનો નુકસાનીનો સરવે કરી વળતરની માંગણીની રજૂઆતો કરી હતી.

આ રજૂઆતો બાદ ઉપલેટા તાલુકાના ૫૨ ગામડામાં સર્વે કરવામાં આવેલ હતું પરંતુ આ સર્વે થયા બાદ ૫૨ માંથી ૧૮ ગામડાઓને બાકાત રાખતા ૧૮ ગામડાના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો એટલું જ નહીં પણ આ ખેડૂતોએ ધારાસભ્ય લલિત વસોયાને રજૂઆત કરતાં ધારાસભ્ય લલિત વસોયા આ ૧૩ ગામ અને બાકીના ગામોમાં સર્વેમાં રહી ગયેલા ખેડૂતોની મીટીંગ બોલાવી હતી.

આ મીટીંગ અન્યાય થયેલ ખેડૂતોએ રેલી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડી તારીખ ૨૩ ૧૦ ૨૦૨૧ ને શનિવારે રાખવામાં આવેલ છે આ અંગે ધારાસભ્ય લલિત વસોયા એ જણાવેલ હતું કે ઉપલેટા તાલુકાના તમામ ગામડા નો સર્વે થયા બાદ ૧૮ ગામડાને બાદ કયાં ધોરણે કર્યા ૧૮ ગામડામાં વધુમાં વધુ નુકસાન થયેલ છે ત્યારે આ ગામડાના ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ખેડૂતો આ રોષ સરકારને દેખાડવા તારીખ ૨૧ ને શનિવારે સવારે ૧૦ વાગ્યે બસ સ્ટેન્ડ ચોકમાંથી રેલી દ્વારા રાજમાર્ગ ઉપર થઈ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપી આ ૧૩ ગામનો સમાવેશ નુકસાની વાળા ગામડામાં કરાવી આવેદનપત્ર આપશે.

(10:50 am IST)