Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મોરબી જીલ્લામાં ઘટ્યાઃ માત્ર ૯ કેસ

કચ્છમાં ૨૬ કેસ : ચૂંટણીવાળા ત્રણેય તાલુકા સતત કોરોના મુકત

રાજકોટ,તા.૨૨ : સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોનાના દર્દીઓની વધ-ઘટ યથાવત રહેવા પામી છે. જો કે કોરોના સંક્રમણ શમી જવાનું નામ લેતો નથી એ સ્પષ્ટ છે.

ભૂજમાં ૧૪ કેસ

કોરોના ફડફડાટ અબડાસા વિસ્તારનાં ત્રણ તાલુકામાં વિધાનસભાની પેટા ચુંટણીનો ધમધમાટ વરતાઈ રહ્યો છે. જોકે, કોરોનાના નવા ૨૬ કેસ નોધાયા છે, પણ ચુંટણી છે તે ત્રણેય તાલુકાઓ નખત્રાણા, લખપત અને અબડાસા સતત કોરોના મુકત હોવાનું વહીવટીતંત્રના આંકડાઓ બતાવી રહ્યા છે. નવા ૨૬ કેસોમાં સૌથી વધુ ૧૪ કેસ ભુજમાં છે. તે સિવાય અંજાર અને રાપરમાં ૩-૩, ગાંધીધામ અને માંડવીમાં ૨-૨, ભચાઉ અને મુન્દ્રામાં ૧-૧ કેસ નોધાયા છે. એકિટવ કેસ દ્યટીને ૨૭૬ થયા છે. કુલ કેસ ૨૬૦૦ ઉપર પહોંચ્યા છે. સાજા થયેલા દર્દીઓ ૨૨૧૧ થયા છે. મૃત્યુ આંકમાં લુકાછૂપીનો ખેલ ચાલુ છે. સરકારી ચોપડે ૭૦ અને બિનસતાવાર ૧૨૦ મોત થયા છે.

મોરબી અને વાંકાનેરમાં, ૧૧ દર્દી સ્વસ્થ

મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાના કેસો સતત દ્યટી રહ્યા હોય સામે રીકવરી રેટ વધુ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં   મોરબી અને વાંકાનેરમાં કોરોનાના માત્ર ૦૯ કેસો નોંધાયા છે જેની સામે ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે

 મોરબી જીલ્લામાં   નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસમાં ૦૬ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૦૯ કેસો જ નોંધાયા છે તો વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૦૭૦ થયો છે જેમાં ૧૬૧ એકટીવ કેસ છે તો ૧૭૯૨ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂકયા છે.

(12:53 pm IST)