Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગેરકાયદે હથીયાર સાથે પકડાયેલા ધોરાજીના માનસિંઘ સિકલીકરને પાસામાં ધકેલાયો

અગાઉ ધોરાજી, જુનાગઢ, જામખંભાળીયામાં ૮ ગુનામાં સંડોવણીઃ ક્રાઇમ બ્રાંચે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૨૨: હથીયારના ગુનામાં પકડાયેલા ધોરાજી ગુલાબનગર ફરેણી રોડના માનસિંહ ઉદેસિંહ સિકલીકર (ઉ.વ.૫૬)ને પાસા તળે જેલહવાલે કરવા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે આદેશ કરતાં ક્રાઇમ બ્રાંચે વોરન્ટની બજવણી કરી તેને અમદાવાદ જેલહવાલે કર્યો છે.

તાજેતરમાં માનસિંહને ડીસીબીની ટીમે ગેરકાયદે હથીયાર સાથે પકડ્યો હતો. આ ઉપરાંત અગાઉ જામનગરમાં પણ તે આવા ગુનામાં પકડાયો હતો. તેમજ ધોરાજીમાં ૨૭૯, ૩૩૮ તથા ધમકી, મારામારીના પાંચ ગુના અને જુનાગઢમાં ચોરીના બે ગુના તથા જામખંભાળીયામાં ૪૬૫, ૪૬૭, ૧૨૦-બી મુજબનો મળી કુલ આઠ ગુનામાં તેની સંડોવણી હતી. આ બધા ગુનાઓ ધ્યાને લઇને તેની સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે.

એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ એમ. વી. રબારી, એએઅસાઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, જગદીશભાઇ મેવાડા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. સોકતખાન ખોરમ, પુષ્પરાજસિંહ જાડેજા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતે વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)