Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પીઠડીયા ટોલનાકા પાસે જેતપુરના વેપારી સંજયભાઈ જાગાણીનો ઝેર પી આપઘાતઃ વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત

રાજકોટ, તા. ૨૨ :. વિરપુરના પીઠડીયા ટોલનાકા પાસે આજે બપોરે જેતપુરના વેપારી સંજયભાઈ ચીમનભાઈ જાગાણીએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા વિરપુરના પીએસઆઈ ભોજાણી ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતક વેપારી સંજયભાઈ જાગાણીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે તે કબ્જે કરી છે. જો કે સ્યુસાઈડ નોટમા વ્યાજખોરોના નામ નથી. બનાવ અંગે વિરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)