Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મોરબીમાં નવલખી ફાટક પાસે પડી જતાં કોળી પ્રોૈઢ હસમુખભાઇનું મોત

રાજકોટ તા. ૨૨: મોરબીમાં માધાપર રેલ્વે સ્ટેશન પાસે રહેતાં હસમુખભાઇ ગંગારામભાઇ વિંજવાડીયા (ઉ.૫૦) નામના કોળી પ્રોૈઢ ગત રાતે નવેક વાગ્યે નવલખી ફાટક પાસેથી ઇજાગ્રસ્ત મળતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

પ્રારંભે કોઇ વાહને ઠોકરે લીધાનું પરિવારજનોને જણાયું હતું. પરંતુ તપાસ થતાં તે પડી જતાં ઇજા થયાનું સામે આવ્યું હતું. હસમુખભાઇ ભંગાર વીણવાનું કામ કરતાં હતાં. તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ મોરબી પોલીસને જાણ કરી હતી.

(1:01 pm IST)