Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પ્રભાસ પાટણમાં નિવૃત વિદાય સમારંભ

 પ્રભાસ પાટણઃ એમ.જે. સ્વામીનારાયણ હાઈસ્કુલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ અરજણભાઈ કાનાણી વયમર્યાદાને કારણે નિવૃત્ત્। થતા હોય જેઓને ગુરુકુળ સ્ટાફ પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં નિવૃત્ત્। થયેલ કર્મચારીએ કરેલી કામગીરીને બીરદાવી તેમને સન્માનિત કરી ને વિદાય આપવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગતગીત તેમજ વિદાયગીત રજુ કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના વડા શા.સ્વા. ભકિત પ્રકાશજી, સ્વામી માધવચરણદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજી તેમજ કાનભાઈ ગઢીયા (પ્રમુખશ્રી કોળી સમાજ) ચંદ્રપ્રકાશભાઈ ભટ્ટ (આગેવાન) ચંદુભાઈ દામાણી(ટ્રસ્ટી) તથા શ્રી ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર- સોમનાથના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન.ગુંદરણીયા તેમજ સંસ્થા સંચાલિત તમામ વિભાગના આચાર્ય શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.વિદાય સન્માનની તસ્વીર.(તસવીર- દેવાભાઈ રાઠોડ. પ્રભાસ પાટણ)

(11:43 am IST)