Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરેન્દ્રનગરમાં જૂગારનાં ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લેવાયા

સુરેન્દ્રનગર તા. રર :.. અહીં ખાતે જૂગારનાં ગુન્હામાં નાસતા ફરતાં બે આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધા હતાં.

આ અંગેની વિગતો મુજબ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા જીલ્લામાં નાસતા - ફરતા આરોપીઓને એકશન પ્લાન બનાવી નાસતા-ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ દરમ્યાન કડક હાથે અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડના પો. સ. ઇન્સ. એમ. એમ. ઠાકોરને સુચના આપેલ જે સુચનાના આધારે ગઇકાલે તા. ર૧ ના રોજ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ ચોટીલા પો. સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન મળેલ સચોટ બાતમી હકિકત આધારે નાની મોલડી પો. સ્ટે. સે. ગુ. ર. નં. રપ/ર૦૧૯ જૂગાર ધારા કલમ ૧ર મુજબના ગુન્હાના કામે કુલ ૦ર નાસતા-ફરતા આરોપીઓ (૧) શીવાભાઇ દાનાભાઇ ગાબુ જાતે ત. કોળી ઉ.૩૧ તથા (ર) સંજયભાઇ ભગવાનદાસ ગોંડલીયા જાતે બાવાજી ઉ.ર૬ બન્ને રહે. તાજપર ગામ, તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાઓને આણંદપુર ચોકડી ઉપરથી પાડી તેઓના વિરૂધ્ધ ચોટીલા પો. સ્ટે. સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) આઇ મુજબ કાયદેસરની ચોકડી ઉપરથી પકડી પાડી તેઓના વિરૂધ્ધ ચોટીલા પો. સ્ટે. સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર બન્ને આરોપીઓનો કબ્જો નાની મોલડી પો. સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ હતાં.

આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના પો. સબ. ઇન્સ. એમ. એમ. ઠાકોર તથા પો. હેડ કોન્સ. ગુલામરસુલ કાસમભાઇ તથા પો. કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા અજયવીરસિંહ વિજયસિંહ તથા પો. કોન્સ. અશ્વિનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા ર નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવામાં આવેલ હતાં.

(11:41 am IST)