Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અમરેલીમાં પોલીસ શહિદ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ

અમરેલીઃ ૧૯૫૯ ના રોજ જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં આવેલ હોટસ્પ્રિંગ વિસ્તારમાં ચીની સૈનિકોના હુમલામાં શહીદ થયેલ અને દેશની રક્ષા માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે ૨૧ ઓકટોબર ના દિવસને પોલીસ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે દેશની રક્ષા માટે ફરજ પર પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદ પોલીસ વીરોને યાદ કરવામાં આવે છે, તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.   અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસના તમામ અધિકારીઓ, પોલીસ જવાનો દ્વારા આજરોજ અમરેલી શહેર મુકામે રાજકમલ ચોકમાં બનાવવામાં આવેલ શહીદ સ્મારક પર જે શહીદ પોલીસ જવાનોએ દેશની સેવા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરેલ, તેમની યાદમાં શોક વ્યકત કરવામાં આવેલ અને શોક સલામી આપી, શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. (તસ્વીર.અહેવાલઃ અરવિંદ નિર્મળ. અમરેલી)

(11:37 am IST)