Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વાંકાનેર-હળવદ પંથકમાં અપમૃત્યુના બે બનાવ : સગીરા સહિત બેના મોત

કોઠારીયામાં હલરમાં આવી જતા કોમલ કોળી (ઉ.વ.૧૭) તથા હળવદના સાપકડા ગામે વિજ કરંટ લાગતા ભરતભાઇ ભાટીયાનું મોત

 મોરબી, તા. રર : વાંકાનેર અને હળવદ પંથકમાં બે અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં સગીરા સહિત બેના મોત થયા છે.  પ્રથમ બનાવમાં કોમલબેન અશોકભાઇ કોળી (ઉ.વ.૧૭) રહે. કોઠારીયા તા. વાંકાનેર વાળી સગીરા વાડીએ મજૂરી કામ કરતા મગફળી કાઢવાના હલરમાં આવી જતા તેનું મોત થયું છે.

જયારે બીજા બનાવમાં હળવદના સાપકડાના રહેવાસી ભરતભાઇ માવુભાઇ ભાટીયા (ઉ.વ.૪૮) વાળા આઘેડ જેઠવાધાર પાસેની વાડીમાં મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત થયું છે. બંને બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)