Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાત્રે જૂનાગઢ પાસે અકસ્માતમાં બાલાગામના જયદિપ પંડયા અને તેના મિત્ર વિશાલનું મોત

ટ્રકે મોટર સાયકલને હડફેટમાં લેતા બન્ને મિત્રોને મળ્યું મોત

જૂનાગઢ, તા. ૨૨ :. જૂનાગઢ પાસે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બાલાગામના જયદિપ પંડયા અને તેના મિત્ર વિશાલનું મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે, કેશોદ તાલુકાના બાલાગામનો જયદિપ કિશોરભાઈ પંડયા (ઉ.વ. ૨૪) અને તેનો મિત્ર વિશાલ (ઉ.વ. ૨૫) મોડી રાત્રીના ૧૦ના અરસામાં મોટર સાયકલ પર બેસીને જૂનાગઢ તરફ આવી રહ્યા હતા.

ત્યારે જૂનાગઢથી ૪ કિ.મી.ના અંતરે રાજકોટ હાઈવે સ્થિત વડાલ ગામ નજીકની ગ્રીન હોટેલ પાસે જીજે ૨૫ યુ ૮૩૮૨ નંબરના ટ્રકે બન્ને મિત્રોને બાઈક સહિત હડફેટમાં લીધા હતા.

અકસ્માતમા બન્ને યુવાનોને ગંભીર ઈજા થવાથી ૧૦૮ મારફતે જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના કરૂણ મોત થયા હતા.

આ અંગે મૃતક જયદિપના પિતા કિશોરભાઈ કાંતીભાઈ પંડયા (ઉ.વ. ૫૦)એ ફરીયાદ કરતા જૂનાગઢ તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ તાલુકા પીએસઆઈ પી.બી. લક્કડ ચલાવી રહ્યા છે.(૨-૭)

(11:54 am IST)