Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દ્વારકામાં સાણંદના બાપા જલારામ સત્સંગ મંડળ-લોહાણા સમાજ આયોજીત શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને વિરામ

દ્વારકાના મહેશ્વરી સેવા કુંજ, નાગેશ્વર રોડ, ખાતે રાણસીકીના શાસ્ત્રી કૌશિભાઇ ભટ્ટના વ્યસાસને તા.૧૪ થી ર૦ સુધી શ્રીમદ્દ ભાગવત સાપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજક બાપા જલારામ સત્સંગ મંડળ તથા લોહાણા સમાજ સાણંદ હતા. પૂ. બ્રહ્મલીન સદ્દગુરૂ ભગવાન શ્રી હરિામબાપાની ચેતનાથી પટેલ કપીલાબેન અંબાલાલ પરિવાર તથા વાધરોલા સત્યજીતસિંહ ધીરૂસિંહ પરિવાર મોટી દેવતી, ઠકકર લાલાભાઇ જયંતિલાલ પરિવાર ઠક્કર નાનુભાઇ મણીલાલ પરિવાર ઠક્કર સ્વ. પોપટલાલ ધનજીભાઇ પરિવાર, ભગદેવ અરવિંદભાઇ હેમચંદભાઇ પરિવાર, ઠકકર કપીલાબેન રમેશભાઇ, (સજાવટ) પરિવારે જહેમત ઉઠાવી હતી દરરોજ વિવિધ પ્રસંગોની કથામાં શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ દ્વારા સંગીતમય શૈલીમાં ઉજવણી કરાઇ હતી.

(3:48 pm IST)