Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કિશાન આંદોલનના ટેકામા દિલ્હી પહોંચ્યા

વઢવાણ : છેલ્લા દશ માસ થી ખેડૂતો દિલ્હી મુકામે આંદોલન ત્રણ કાળા કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર માં થી ચોટીલા થી સાયકલ યાત્રા ઉપર હરેશભાઈ પુજારા રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેદનપત્ર આપવા માટે ગયેલ હોય તેઓ ટુંક સમયમાં દિલ્હી મુકામે પહોંચવા માં હોય તેમનાં સમર્થન માં અને દિલ્હી આંદોલન નાં સમર્થન માં સૌરાષ્ટ્ર માં થી ખેડૂત આગેવાનો સુરેશભાઈ વિંછીયા વાળા અને ભરતભાઈ કમેજળીયા પાણશીણા ની આગેવાની હેઠળ આશરે ૧૦૦-૧૨૫ ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર આંદોલન માં જોડાયાં છે અને ત્યાં કીશાન આગેવાનો રાકેશ ટીકૈત સાથે મુલાકાત કરી આગળ ની રણનીતિ તય કરશે ગુજરાત માં પણ મોટીસંખ્યામાં ખેડૂતો હવે આંદોલન માં જોડાશે અને ગુજરાત માં પણ આંદોલન નાં મંડાણ થશે તેમ ભરતભાઇ એ જણાવ્યું હતું સાયકલ યાત્રી હરેશભાઈ પુજારા સાથે તેઓ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેદનપત્ર આપશે તેમાં તેઓની સાથે રહેશે. (તસ્વીર-અહેવાલ : ફારૂક ચૌહાણ, સુરેન્દ્રનગર)

(11:45 am IST)