Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સાયલાના લીંબાળા ગામે દીયર, ભાભીના પ્રેમ સબંધની આશંકાએ લાશો મળી આવી

ધજાળા પોલીસને જાણ થતા લાશને પીએમ અર્થે સાયલા મોકલી રૂ રોજમાળ તરીકે ઓળખાતી અવવારૂ જગ્યાએ બન્ને પરિણીત પ્રેમીઓએ લીંબડાના ઝાડે ગળાફાંસો ખાઇ લીધો

 (ફઝલ ચૌહાણ) વઢવાણ,તા.૨૨ રૂ  સાયલાના લીંબાળા ગામની સીમામાં જોગરાણા પરિવારના દીયર અને ભાભીના પ્રેમ સબંધની આશંકાએ ગામથી ૨ કિમી દૂર સીમ જમીનના લીંબડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી . ધજાળા પોલીસે લાશને સાયલા પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે . સાયલાના લીંબાળા ગામે રહેતા ભગવાનભાઇ છેલાભાઇ જોગરાણાના પત્ની રેખાબેન અને કૌટુંબિક દીયર વિક્રમભાઇ મીઠાભાઇ જોગરાણાને કેટલાક સમયથી  પ્રેમસંબંધ હોવાની આશંકા પોલીસે બતાવી હતી .

 ગત રાત્રીના ૧૦ કલાક બાદ વિક્રમભાઇ અને રેખાબેન લીંબાળા ગામની રોજમાળ તરીકે ઓળખાતી અવવારુ જગ્યાએ આવ્યા હતા અને પરિણીત રેખાબેન અને વિક્રમભાઇ પણ પરિણીત હતા . ત્યારે પ્રેમ સબંધમાં અગમ્ય કારણોસર બન્ને પરિણીત પ્રેમીઓએ લીંબડાના ઝાડે ગળાફાંસો ખાઇ લીધો હતો . આ બાબતની ગ્રામજનો અને પરિવારજનોને જાણ થતા વધુ તપાસ હાથ ધરતા સીમમાં એક પુત્ર સંતાન ધરાવતી માતા રેખાબેન અને કુંટુબીજન વિક્રમભાઇ સાથે બન્નેની લાશ લટકતી હોવાનું જાણાવા મળતા પરિવારજનોમાં દોડધામ મચી હતી . આ બાબતે ધજાળા પોલીસને જાણ થતા પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા, ભીખાભાઇ પરમાર , દોલતભાઇ ડાંગર સહિત પોલીસકર્મીઓ લાશને સાયલા દવાખાને મોકલી આપી હતી . અને ગળે ફાંસો ખાવાના કારણો સુધીની વધુ તપાસ હાથ ધરી છે .

 સાયલા તાલુકાના લીંબાળા ગામે કૌટુંબીક દિયર-ભોજાઈ વચ્ચે પ્રેમ પાંગરતા બન્નેએ સીમમાં જઈને સજોડે ફાંસો ખાઈ મોત વહાલુ કરી લેતા અરેરાટી સાથે ચકચાર ફેલાવા પામેલ હતી.

 લીંબાળા ગામે રહેતા ભગવાનભાઈ જોગરાણાના લગ્ન ચાર વર્ષ પહેલા લીંબડી તાલુકાના ધલવાણા ગામે રહેતી રેખા નામની યુવતિ સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન રેખાબેને એકપુત્રને જન્મ આપેલ છે જે હાલ દોઢ વર્ષનો છે. જાણવા મળતી વિગત મુજબ એક વર્ષ પહેલા લીંબાળા ગામના ૨૨ વર્ષના વિક્રમ મીઠાભાઈ જોગરાણા અને પરિણિત રેખાબેનની આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને અવારનવાર મળતા હતા ધીરેધીરે ગામમાં વાતો થતા ત્રણ મહિના પહેલા પરિવારજનોને ખબર પડતા ઠપકો આપવામાં આવેલ હતો. એકબીજા ઉપર ઓળઘોળ થયેલા આ કૌટુંબીક દિયર ભોજાઈ માટે વિયોગ અસહ્ય બન્યો હતો જ્યારે એક થવાનું શકય લાગતુ ન હોતુ આથી ગઈકાલે લીંબાળા ગામની સીમમાં જઈને બન્નેએ ઝાડ સાથે સજોડે ગળેફાંસો ખાઈ મોત વહાલુ કરી લીધુ હતુ. દોઢ વર્ષના પુત્રએે માતાની મમતા ગુમાવી હતી. 

(11:07 am IST)