Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મોરબીમાં ૨૯ કેસ : ચાલુ માસમાં એક જ દર્દીનું મૃત્યુ

મોરબી,તા.૨૨:મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે અને આરોગ્ય વિભાગ આંકડાની માયાજાળ રચતી હોય તેમ લાગી રહ્યું છે કારણકે સપ્ટેમ્બર માસના પ્રારંભ થી અત્યાર સુધીમાં એકપણ દર્દીનું મોત થયું ના હતું અને આજે ૨૯ નવા કેસો સાથે ૦૧ દર્દીનું મૃત્યુ બતાવાયું છે.

મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૩ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૧૪ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૯ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૭ દર્દીઓ સ્વસ્થ થયા છે તો એક દર્દીનું મૃત્યુ થયું છે નવા ૨૩ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૫૧૨ થયો છે જેમાં ૨૫૪ એકટીવ કેસ છે જયારે ૧૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:38 am IST)