Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

જામનગરમાં મકાન ઉપર પથ્થરમારો અન સ્કૂટરમાં તોડફોડ

જામનગરઃ  ગોકુલનગર રડાર રોડ ઉપર સાયોના શેરીમાં રહેતા અશ્વિનભાઇ  દેવાણંદભાઇ વસરાએ મસીતીયાના હાજી ડોન તથા શંકર ટેકરી વિસ્તારમાં રહેતો શિવો દરબાર સામે  ફરીયાદ નોંધાવી એવો આક્ષેપ કર્યો છે કે, આ બંને શખ્સોએ તેમના રહેણાંક મકાન ઉપર તેમજ સ્કૂટર ઉપર પથ્થરમારો કરી, ધોકા પછાડી તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ.

ગોકુલનગર વિસ્તારમાં જ અશ્વિનભાઇના કાકાનો એક પ્લોટ છે જેને બનાવટી કાગળો મારફત દોઢ લાખ રૃપિયામાં વેંચાતો લઇ લીધો હોવાનુ કહી બન્ને શખ્સો દ્વારા પ્લોટ ખાલી કરી દેવા ધમકી આપી ભયનું વાતાવરણ સર્જવામા આવ્યુ હતુ. અને ત્યારબાદ હુમલો કરી નાસી ગયા હતા.  પથ્થરમારાને કારણે મકાનની અંદર રહેલ ફરીયાદીના પત્ની ગીનીબેન તથા તેના ફઇબા સીધીબેનને ઇજાઓ થઇ હતી.

(12:54 pm IST)