Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

નવા અમરાપર ગામે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો

ખેતમજૂરી કરતાં પરિવારની મહિલા હોવાનું ખુલ્યું

હળવદ, તા.૨૧: પંથકના નવા અમરાપર ગામે આવેલ નર્મદા કેનાલમા કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ નર્મદા કેનાલ કાંઠે થી પસાર થતા ગ્રામજનોને થતા તેઓ દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ સરપંચને કરવામાં આવી હતી જેથી સરપંચ ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોની મદદથી મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયો હતો અને આ અંગેની જાણ હળવદ પોલીસને કરી હતી.

જેથી પોલીસ નવા અમરાપર ગામેઙ્ગ દોડી જઈ મૃતક મહિલાનો કબ્જો લઈ મૃતક મહિલા કયા ગામની છે અને કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરતા આ મહિલા ઇસનપુર ગામે ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની હોવાનું ખૂલવા પામ્યું હતું જેથી પોલીસ દ્વારા લાશ ને પી.એમ માટે સરકારી દવાખાના ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)