Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

અમરેલીના વડીયાનો સુરવો ડેમ છલોછલ : નીચાણવાળા ચાર ગામોને એલર્ટ કરાયા

ગામ લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના

અમરેલીના વડીયા નજીકનો સુરવો ડેમ પૂર્ણ સપાટીએ સો ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવક વધતા ગમે ત્યારે જળાશયમાંથી દરવાજા ખોલવામાં આવી શકે છે. ગામ લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. નિચાણવાળા 4 ગામોને પણ એલર્ટ કરાયા છે. અમરેલી જિલ્લાનું વડીયા તેમજ રાજકોટ જિલ્લાના ચારણીયા,ચારણ સમઢીયાળા,થાણા ગાલોળ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે

(9:20 pm IST)