Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાવનગરના ચકચારી 65 લાખની લૂંટ - હત્યા કેસમાં ફરાર બે આરોપીઓ ઝડપાયા

ભાવનગર ::: કાળુભા વિસ્તારમાં આવેલ ડો.માલતીબેનના રહેણાંકી મકાનમાં છ માસ અગાઉ લૂંટના ઇરાદે આવેલ ઈસમોએ વિનોદભાઈ ગોરધનભાઈની હત્યા કરી રૂ.65.51 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં.

   આ બનાવ અંગે ભાવનગર પોલીસની આલગ- અલગ ટીમે તપાસ હાથ ધરી હતી અને કાર તેમજ આરોપીઓને ઝડપી લીધા બાદ આ કામના ફરાર આરોપીઓ મુકેશ દાનાભાઈ મેર - વાવડી,તા.સિહોર તથા સુરેશ/અજય જીવરાજભાઈ મકવાણા રે.નેસડા તા.સિહોરવાળાને દાહોદ જિલ્લાના કાલાખૂટ ગામમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

       આ બન્ને શખ્સ અગાઉ પણ લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં અગાઉ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી રૂ.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:14 pm IST)