Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વાંકાનેરમાં જન્માષ્ટમી પર્વ નિમિતે શાંતિ સમીતીની મિટીંગ

વાંકાનેરઃ જન્માષ્ટમીનો તહેવાર શાંતિ અને ભાઇચારા સાથે ધાર્મિકતા ભર્યા વાતાવરણ વચ્ચે શાંતિથી ઉજવાઇ તે માટે વાંકાનેર શહેર પોલીસ દ્વારા હિન્દુ-મુસ્લીમ સમાજના અગ્રણીઓ તથા કૃષ્ણ જન્મોત્સવ સમીતીના અગ્રણીઓ-સંચાલકોની મીટીંગ  પોલીસ પટાંગણમાં યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદા, યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા, પી.આઇ. એચ.એન.રાઠોડ, પીએસઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ પી.સી.મોલીયા, મહંમદભાઇ રાઠોડ, યાર્ડના પ્રમુખ શકીલભાઇ પીરઝાદા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડીરેકટર સુરેશભાઇ પ્રજાપતી, ભુપતભાઇ પઢીયાર, હીરાભાઇ બાંભવા, દામોદરભાઇ પટેલ, નગર સેવક અમુભાઇ ઠાકરાણી, ભીખાલાલ મકવાણા, લક્ષ્મીપરા તાજીયા કમીટીના પ્રમુખ ઇકબાલભાઇ લાખા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ મીસ્ત્રી સહીતના અગ્રણીઓ, પત્રકારો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(11:35 am IST)