Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

જામનગરમાં આવાસ યોજનામાં ૧૦મા માળેથી ઝંપલાવીને વૃધ્ધ પ્રવિણભાઇ ભારદીયાનો આપઘાત

જામનગર તા.૨૨: જામનગરના આવાસ યોજનાના ૧૦મા માળેથી ઝંપલાવીને વૃધ્ધએ આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ય માહિતી મુજબ સરૂ સેકશન રોડ ૮૦ ફુટના રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલા ૧૦ મા માળ ઉપરથી ઝંપલાવીને નીચે પડતું મુકીને પ્રવિણભાઇ ગીરધરભાઇ ભારદીયા (ઉ.વ.૫૬) એ આપઘાત કરી લીધો હતો. મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જીવનથી કંટાળીને આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.(૧.૩૦)

(4:08 pm IST)