Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાજય સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય ધારકો માટે તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને રિફાઇન્ડ કપાસીયા તેલ મળશે

અમરેલી, તા.૨૨: રાજય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત તમામ અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડ ધારકોને આગામી તહેવાર માટે વધારાની ખાંડ અને રિફાઇન્ડ કપાસીયા તેલ આપવામાં આવનાર છે. વાજબી ભાવની દુકાન પરથી વિતરણ કરવામાં આવે છે, તે મુજબ ઓગષ્ટ-૨૦૧૮ દરમિયાન પણ વિતરણ કરવામાં આવશે.

જેમાં ખાંડ બીપીએલ કાર્ડદીઠ રૂ.૧ કિગ્રા પ્રતિ કિગ્રા રૂ.૨૨, ખાંડ અંત્યોદય કાર્ડદીઠ રૂ.૧ કિગ્રા પ્રતિ કિગ્રા રૂ.૧૫, રિફાઇન્ડ કપાસીયા તેલ (બીપીએલ અને અંત્યોદય) કાર્ડદીઠ રૂ.૧ લી પાઉચ રૂ.૫૦ના ભાવે મળી શકશે. સંબંધિત તમામ રેશનકાર્ડધારકોને તેનો લાભ લેવા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૩.૨)

(11:57 am IST)