Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે ગુરૂપુર્ણિમાં પર્વની ઉજવણી કરાશે

પૂ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં શુક્રશની દ્વિ-દિવસીય કાર્યક્રમો

જુનાગઢ તા. રર :.. જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણધામ આશ્રમ ખાતે પૂ.જેન્તિરામબાપાના સાનિધ્યમાં તા. ર૩ ને શુક્રવાર અને ર૪ ને શનિવાર એમ દ્વિ-દિવસીય ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં પૂ.જેન્તિરામબાપા દ્વારા તેમના ગુરૂદેવ પૂ. હરીરામબાપાની ચરણ પાદુકાનું શાસ્ત્રોકતવિધી સાથે પૂજન કરાશે. બાદમાં પૂ. જેન્તિરામબાપાનું સેવક સમુદાય દ્વારા પૂજન કરાશે અને પૂ. બાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુ ગત તા. ર૦ મેના રોજ બ્રહ્મલીન થતા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે અને આ ગુરૂપૂર્ણિમાં પર્વની દ્વિ-દિવસીય ઉજવણીની સરકારશ્રીની ગાઇડ લાઇનનું ચુસ્તપણે અમલ કરી ઉજવણી કરવામાં આવશે તો દરેક સત પરિવારનાભાઇઓ  બહેનો પરિવારોએ માસ્ક પહેરી સેનેટાઇઝ થઇ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા પૂ.બાપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

(12:07 pm IST)