Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પોરબંદરના ખાપટમાં સવા મહિનાની બાળકીનું રસીકરણ બાદ મોત

રસીકરણના કાર્યક્રમ મુજબ બાળકીને ઇન્જેકશન બાદ તબીયત લથડીઃ મૃત બાળકીને પીએમ માટે જામનગર ખસેડીઃ આડઅસર કે બીમારી થી મોત... ? અંગે તપાસ

પોરબંદર તા.રર : પોરબંદર તાલુકાના ખાપટમાં સવા મહિનાની બાળકીને રસીકરણ ઇન્જેકશન આવ્યા બાદ તેની તબીયત લથડયા બાદ અને મોત નીપજયુ હતુ. ખાપટના મનીષાબેન રાકેશભાઇ પરમારે આ બનાવની જાણ પોલીસને કરતા આડ અસર કે બીમારીને કારણે મોત અંગે તપાસ શરૂ થઇ છે.

ખાપટના મનીષાબેન રાકેશભાઇ પરમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ કે તેની સવા મહિનાની પુત્રીને રસીકરણના કાર્યક્રમ મુજબ રસીકરણ માટે કેન્દ્ર ઉપર ગયેલ અને ઇન્જેકશન બાદ બાળકીની તબીયત લથડતા તેમને ભાવસિંહજી સરકારી હોસ્પીટલે ખસેડાયેલ અને બાળકી મરણ ગયાનું જાહેર કરવામાં આવ્યુ હતુ.

મૃતક બાળકીને પોસ્ટમોર્ટમ માટે જામનગર લઇ જવાય છે. બાળકીનું મોત આડઅસર કે બીમારીથી મોત ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:08 pm IST)