Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વાંકાનેરમાં ર મુસ્લિમ આગેવાનોના એક જ દિવસે અવસાનથી ઘેરો શોક

વાંકાનેર, તા. રર :  વાંકાનેર શહેરના બે મુસ્લિમ આગેવાનોના એક જ દિવસે અવસાન થતા મુસ્લિમ સમુદાયમાં શોક વ્યાપેલ છે.

પ્રથમ વાંકાનેરના સુન્ની હુશેની તાઝીયા કમીટીના તથા નગરપાલીકાના પૂર્વ સદસ્ય લાખા ઇસ્માઇલ હાજી મુસાભાઇ (ઉ.વ.૬૮)નું ટુંકી બિમારી બાદ દુઃખદ અવસાન-જન્નત નશીન થયેલ છે. તેઓ લાખા હાજી અબ્દુલ ગફાર તથા લાખા અલીભાઇના ભાઇ થાય. તેઓનું દુઃખ અવસાન થતા તેઓની ઝીયારત-સીપારા મંગળવારે સવારે એ.કે. પીરઝાદા મસ્જીદે લક્ષ્મીપરા વાંકાનેર ખાતે સવારે ૯ થી ૧૦ તથા બહેનો માટે તેઓના નિવાસ્થાન લક્ષ્મીપરા-૧ ખાતે રાખેલ છે.

જયારે મકરાણી બશીરભાઇ કાદુભાઇ (ઉ.વ.પપ)નું બ્રેન હેમરેજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવસાન થયેલ. તેઓ ચંદ્રપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ હતા તેઓ હશનભાઇ (હસાભાઇ) તથા અનવરભાઇના મોટાભાઇ થાય, જયારે ઇરફાન તથા જહાન્વીના પિતા થાય. મર્હુમની ઝીયારત આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યે ગ્રીનચોક મહિના મસ્જીદ ખાતે રાખવામાં આવેલ છે. જયારે બહેનોની ઝીયારત ઘાંચી જુમાત ખાના લક્ષ્મીપરા-૩ ખાતે રાખવામાં આવેલ છે.

(12:16 pm IST)